ફરિયાદીઓ અને સાક્ષીઓનો ખચૅ - કલમ:૩૧૨

ફરિયાદીઓ અને સાક્ષીઓનો ખચૅ

રાજય સરકારે કરેલા નિયમોને આધીન રહીને કોઇ ફોજદારી કોટૅ પોતાને યોગ્ય લાગે તો આ અધિનિયમ હેઠળ પોતાની સમક્ષની કોઇ તપાસ ઇન્સાફી કાયૅવાહી કે બીજી કાયૅવાહીના હેતુ માટે હાજર રહેનાર ફરિયાદી કે સાક્ષીનો વાજબી ખચૅ સરકારે આપવાનો હુકમ કરી શકશે