ગુના માટે દોષિત જણાય તે અન્ય વ્યકિતઓ સામે કાયૅવાહી કરવાની સતા - કલમ:૩૧૯

ગુના માટે દોષિત જણાય તે અન્ય વ્યકિતઓ સામે કાયૅવાહી કરવાની સતા

(૧) ગુનાની કોઇ તપાસ કે ઇન્સાફી કાર્યવાહી દરમ્યાન પુરાવા ઉપરથી એવુ જણાય કે આરોપી સિવાયની વ્યકિતએ જે ગુના માટે એ વ્યકિતની આરોપી સાથે કાર્યવાહી કરી શકાય તેવો કોઇ ગુનો કર્યો છે તો તેણે કરેલ હોવાનુ જણાય તે ગુના માટે કોટૅ તે વ્યકિત સામે કાર્યવાહી શરૂ કરી શકશે

(૨) તે વ્યકિત કોટૅમાં હાજર ન હોય તો ઉપર જણાવેલ હેતુ માટે કેસના સંજોગો અનુસાર જરૂરી હોય તે પ્રમાણે તેને પકડી કે સમન્સથી બોલાવી શકી (૩) કોર્ટમાં હાજર હોય તે કોઇ વ્યકિત પકડાયેલ કે સમન્સથી બોલાવાયેલ ન હોય તો. પણ તેણે જે ગુનો કર્યો હોવાનુ જણાતુ હોય તે ગુનાની તપાસ કે ઇન્સાફી કાર્યવાહી કરવા માટે તે કોટૅ તે વ્યકિતને અટકમાં રાખી શકશે

(૪) પેટા કલમ (૧) હેઠળ કોઇ વ્યકિત સામે કોર્ટ કાર્યવાહી શરૂ કરે ત્યારે

(ક) તે વ્યકિત સબંધી કાર્યવાહી નવેસરથી શરૂ કરવી જોઇશે અને સાક્ષીઓને ફરીથી તપાસવા જોઇશે

(ખ) જેના ઉપરથી ગુનાની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી શરૂ કરવામાં આવી હોય તે ગુનાની કાર્યવાહી કોરે શરૂ કરી હોય ત્યારે તે વ્યક્તિ આરોપી હોય તે કેસની કાર્યવાહી ખંડ(ક)ની જોગવાઇઓને આધીન રહીને આગળ ચલાવી શકાશે