
મિલકત કબજે લીધા પછી પોલીસે અનુસરવાની કાયૅરીતિ
(૧) જયારે પણ કોઇ પોલીસ અધિકારીએ મિલકત કબજે લીધાનો આ અધિનિયમની જોગવાઇ હેઠળ મેજીસ્ટ્રેટને રિપોટૅ કરવામાં આવે અને તપાસ કે ઇન્સાફી કાયૅવાહી દરમ્યાન ફોજદારી કોટૅ સમક્ષ તે મિલકત રજુ ન કરવામાં આવે ત્યારે તે મિલકતના નિકાલ સબંધી અથવા તેનો કબજો ધરાવવા હકદાર વ્યકિતને તે મિલકત સોપી દેવા સબંધી અથવા તે વ્યકિત અંગે નિણૅય ન થઇ શકે તો તે મિલકતની કસ્ટડી અને તેને રજુ કરવા સબંધમાં મેજિસ્ટ્રેટ પોતાને યોગ્ય લાગે તે હુકમ કરી શકશે (૨) જો આ રીતે કોણ હકદાર છે તેની ખબર હોય તો મેજિસ્ટ્રેટ પોતાને યોગ્ય લાગે તેવી હોય તે શરતોએ (કંઇપણ) મિલકત તેને સોંપી દેવાનો હુકમ કરી શકશે અને હકદાર કોણ છે તેની ખબર ન હોય તો મેજિસ્ટ્રેટ તે મિલકત રોકી રાખી શકશે અને જો તે કરે તો તેણે તેમાં કઇ કઇ વસ્તુઓ છે તે દશૅ વતુ અને જે કોઇ વ્યકિતને તે મિલકત પરત્વે હકદાવો હોય તેને જાહેરનામાની તારીખથી છ મહિનાની અંદર પોતાની સમક્ષ હાજર થઇ તેનો હકદાવો સાબિત કરવા ફરમાવતુ જાહેરનામુ કાઢવુ જોઇશે
Copyright©2023 - HelpLaw