દીવાની દાવામાં સ્વીકૃતિ કયારે પ્રસ્તુત ગણાય - કલમ:૨૩

દીવાની દાવામાં સ્વીકૃતિ કયારે પ્રસ્તુત ગણાય

સ્વીકૃતિનો પુરાવો આપવાનો નથી એવી સ્પષ્ટ શરતે સ્વીકૃતિ કરવામાં આવી હોય તો અથવા જે સંજોગોમાં સદરહુ સ્વીકૃતિ કરવામાં આવી હોય તે સંજોગો ઉપરથી અદાલત એવું અનુમાન કરી શકે કે સદરહુ સ્વીકૃતિનો પુરાવો આપવો નહિ એવો તે કામના કે પક્ષકારો સહમત થઇને ઠરાવ કર્યું છે તો તે સ્વીકૃતિ દીવાની દાવામાં પ્રસ્તુત નથી. સ્પષ્ટીકરણ:- કોઇ પણ બેરીસ્ટર પ્લીડર એટની અથવા વકીલને કલમ ૧૨૬ હેઠળ જે બાબતમાં પુરાવો આપવાની ફરજ પાડી શકાય તે બાબતોનો પુરાવો આપવામાંથી તેને આ કલમના કોઇ પણ મજકૂરથી મુકિત મળે છે એમ ગણાશે નહિ. ઉદ્દેશ્ય:- દિવાની દાવામાં કરેલ સ્વીકૃતિ પ્રસ્તુત નથી જયારે (૧) દાવાના પક્ષકારોએ એવી શરત કરી હોય કે આ દાવા અંગે પુરાવો આપવાનો નથી. અથવા (૨) પક્ષકારોએ ભેગા થઇને પુરાવો આપવો નથી. એવુ નકકી કરેલાનું સંજોગો જોતા કોટૅ નિષ્કષૅ કરે (પાટી) પક્ષકારો સમાધાન તરફ પ્રેરાય અને ઓછામાં ઓછા તકરારી કેસો બને અને તકરારનો અંત આવે એ બાબત આ કલમનો મુખ્ય આશય છે.