
ટુકી સંજ્ઞા વ્યાપ્તિ અને આરંભ
(૧) આ અધિનિયમ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ કહેવાશે.
(૨) પ્રકરણ-૯, ૧૧ અને ૧૨ ને લગતી હોય તે સિવાયની આ સંહિતાની જોગવાઇઓ
(એ) નાગાલેન્ડ રાજયને
(બી) આદિજાતિ વિસ્તારોને લાગુ પડશે નહિ પરંતુ સબંધિત રાજય સરકાર જાહેરનામાથી જાહેરનામા નિદિષ્ટ કરવામાં આવે તે પૂરક આનુષાંગિક કે પારિણામિક ફેરફારો સાથ યથા પ્રસંગ સમગ્ર નાગાલેન્ડ અથવા આદિજાતિ વિસ્તારોને કે તેના ભાગને તે અથવા તેમાંની કોઇ જોગવાઇ લાગુ પાડી શકશે. સ્પષ્ટીકરણ.- આ કલમમાં આદિજાતિ વિસ્તારો એટલે સન ૧૯૭૨ ના જાન્યુઆરી મહિનાની ૨૧મી તારીખની તરત પહેલા સંવિધાનની છઠ્ઠી અનુસૂચિના પરિચ્છેદ ૨૦માં ઉલેખ્યા પ્રમાણેના શિલોંગ નગરપાલિકાની સ્થાનિક હદમાં હોય તે સિવાયના આસામના આદિજાતિ વિસ્તારોમાં સમાવેશ થતા હોય તે પ્રદેશો
(૩) તે કેન્દ્ર સરકાર સતાવાર ગેઝેટમાં જાહેરનામાથી નિદિષ્ટ કરે તે તારીખથી અમલમાં આવશે.
Copyright©2023 - HelpLaw