
માહિતી ખરી હોવા વિષે તપાસ
(૧) ન્યાયાલયમાં હાજર હોય તે વ્યકિતને કલમ-૧૩૦ હેઠળનો હુકમ કલમ-૧૩૧ મુજબ વાંચી સંભળાવવામાં આવે કે સમજાવવામાં આવ્યો હોય અથવા કલમ-૧૩૨ હેઠળ કાઢેલા સમન્સ મુજબ કોઇ વ્યકિત ન્યાયાલય સમક્ષ હાજર થાય અથવા તે કલમ હેઠળ કાઢેલું વોરંટ બજાવી તેને ન્યાયાલય સમક્ષ લાવવામાં આવે ત્યારે જેના ઉપરથી પગલું ભરવામાં આવ્યું હોય તે માહિતી ખરી હોવા વિષે મેજિસ્ટ્રેટ તપાસ કરવાની અને જરૂરી જણાય એવો વધુ પુરાવો લેવાની કાયૅવાહી કરશે.
(૨) એવી તપાસ વ્યવહાયે હોય ત્યાં સુધી સમન્સ કેસોમાં ઇન્સાફી કાયૅવાહી ચલાવવા અને પુરાવો લેવા માટે આ સંહિતામાં હવે પછી ઠરાવેલી રીતે કરવામાં આવશે.
(૩) પેટા કલમ (૧) હેઠળની તપાસ શરૂ થયા પછી અને પૂરી થતા પહેલા સુલેહનો ભંગ કે જાહેર સુલેહ શાંતિમાં ખલેલ અથવા કોઇ ગુનો થતો અટકાવવા માટે અથવા જાહેર સલામતિ માટે તાત્કાલિક પગલા લોવ જરૂરી છે એમ પોતાને લાગે તો મેજીસ્ટ્રેટ તેમ કરવાના કારણોની લેખિત નોંધ કરીને જેના અંગે કલમ-૧૩૦ હેઠળ હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિતને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી શાંતી જાળવવા અથવા સારા વતૅન માટે મુચરકો કે જામીનખત આપવા ફરમાવી શકશે એવો મુચરકો અથવા જામીનખત આપવામાં ન આવે ત્યાં સુધી અથવા તે આપવામાં કસૂર થાય તો તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેને કસ્ટડીમાં રાખી શકશે. પરંતુ
(એ) કલમ-૧૨૭, કલમ-૧૨૮ અથવા કલમ-૧૨૯ હેઠળ જેની વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી ન હોય તેવી વ્યકિતને સારા વર્તન માટે મુચરકો કે જામીનખત આપવાના આદેશ આપી શકાશે નહી.
(બી) મુચરકાની રકમ વિશેની અથવા જામીનની જોગવાઇ કે તેમની સંખ્યા કે તેમની જવાબદારીની નાણાકીય મયૅાદા વિશેની તે મુચરકાની શરતો કલમ-૧૩૦ હેઠળના હુકમમાં નિર્દિ ાષ્ટ કરેલી શરતો કરતા વધુ ભારે હોવી જોઇશે નહી.
(૪) આ કલમના હેતુ માટે કોઇ વ્યકિત રીઢો ગુનેગાર અથવા જેને જામીનગીરી વિના છૂટો રાખવાનું લોકો માટે જોખમકારક થાય એટલો ઝનુની અને ભયંકર માણસ હોવાની હકીકત તેની સામાન્ય આબરૂ સબંધી પુરાવાથી કે બીજી રીતે સાબિત કરી શકાશે.
(૫) તપાસ હેઠળની બાબતમાં બે કે વધુ વ્યકિતઓ સંકળાયેલ હોય ત્યારે મેજિસ્ટ્રેટને ન્યાયોચિત લાગે તે પ્રમાણે તેમના વિશે એક જ અથવા જુદી જુદી તપાસ કરી શકાશે. (૬) આ કલમ હેઠળની તપાસ તે શરૂ કયૅ ડની તારીખથી છ મહિનાની મુદતની મુદતની અંદર પૂરી કરવી જોઇશે અને તે તપાસ એ પ્રમાણે પુરી ન થાય તો આ પ્રકરણ હેઠળની કાયૅવાહી સદરહુ મુદત પૂરી થયે ખાસ લેખિત કારણો નોંધીને મેજિસ્ટ્રેટ બીજો આદેશ ન આપે તો સમાપ્ત થયેલી ગણાશે. પરંતુ કોઇ વ્યકિતને એવી તપાસ થતાં દરમ્યાન અટકમાં રાખવામાં આવેલ હોય ત્યારે તે વ્યકિત સામેની કાયૅવાહી વહેલી સમાપ્ત થયેલ હોય તે સિવાય એવી રીતે અટકમાં લીધાના છ મહિનાની મુદત પૂરી થયે સમાપ્ત થયેલી ગણાશે.
(૭) પેટા કલમ (૬) હેઠળ કાયૅવાહી ચાલુ રાખવાની પરવાનગી આપતો કોઇ આદેશ આપવામાં આવે ત્યારે સેશન્સ જજને નારાજ થયેલ પક્ષકારે કરેલી બીજી અરજી ઉપરથી તેને એવી ખાતરી થાય કે તેવો આદેશ કોઇ ખાસ કારણ ઉપર આધારિત ન હતો અથવા પુરાવાથી વિપરીત હતો તો તે આદેશ ઉઠાવી લઇ શકશે.
Copyright©2023 - HelpLaw