વિધિ પૂરતો પુરાવો સોગંદનામાંથી આપવા બાબત - કલમ : 332

વિધિ પૂરતો પુરાવો સોગંદનામાંથી આપવા બાબત

(૧) જેનો પુરાવો વિધિ પૂરતો હોય તે વ્યકિતનો પુરાવો સોગંદનામાંથી આપી શકાશે અને તમામ ન્યાયોચિત અપવાદોને બાદ કરતા આ સંહિતા હેઠળની તપાસ ઇન્સાફી કાયૅવાહી કે બીજી કાયૅવાહીમાં તેના ઉપર પુરાવા તરીકે આધાર રાખી શકાશે.

(૨) ન્યાયાલય પોતાને યોગ્ય લાગે તો તે વ્યકિતને બોલાવી તેના સોગંદનામામાં જણાવેલી હકીકતો અંગે તેને તપાસી શકશે અને ફરિયાદ પક્ષ કે આરોપી તેમ કરવા અરજી કરે તો તેણે તે પ્રમાણે કરવું જોઇશે.