
વળતર આપવાનો હુકમ
(૧) કોઇ ન્યાયાલય દંડની સજા અથવા દંડ સાથેની કોઇ (મોતની) સજા કરે ત્યારે ફેંસલો આપતી વખતે ન્યાયાલય વસૂલ થાય તે દંડની પૂરેપૂરી રકમ કે તેનો કોઇ ભાગ નીચે જણાવ્યા પ્રમાણે વાપરવાનો હુકમ કરી શકશે.
(એ) ફોજદારી કામ ચલાવવામાં યોગ્ય રીતે થયેલો ખચૅ ભરપાઇ કરવા માટે
(બી) ન્યાયાલયના અભિપ્રાય પ્રમાણે કોઇ વ્યકિત દીવાની ન્યાયાલયમાં વળતર મેળવી શકે તેમ હોય ત્યારે ગુનાથી તેને થયેલ નુકશાન કે હાનિ બદલ તે વ્યકિતને વળતર આપવા માટે
(સી) અન્ય વ્યકિતનું મોત નિપજાવવાના ગુના માટે અથવા એવો ગુનો કરવાનું દુમ્પ્રેરણ કરવા માટે કોઇ વ્યકિતને દોષિત ઠરાવવામાં આવે ત્યારે જે વ્યકિતઓ એવા મૃત્યુથી તેમને થયેલા નુકશાન માટે સજા પામેલ વ્યકિત પાસેથી પ્રાણઘાતક અકસ્માત અધિનિયમ ૧૮૫૫ હેઠળ નુકશાની મેળવવા હકદાર હોય તેમને વળતર આપવા માટે
(ડી) ચોરીનો ગુનાહિત દુવિનિયોગનો ગુનાહિત વિશ્વાસઘાતનો કે ઠગાઇનો અથવા ચોરીનો માલ હોાવનું જાણવા છતાં કે એમ માનવાને કારણ હોવા છતા તેવો માલ બદદાનતથી લેવાનો કે રાખવાનો કે તેનો નિકાલ કરવામાં સ્વેચ્છાપૂવૅક મદદ કરવાનો જે ગુનામાં સમાવેશ થતો હોય એવા ગુના માટે કોઇ વ્યકિતને દોષિત ઠરાવવામાં આવે ત્યારે જો તે માલ તેના હકદારને પાછો સોંપી દેવામાં આવે તો તે માલ શુધ્ધબુધ્ધિથી ખરીદનાર પાસેથી લઇ લેતા તેને થતા નુકશાન બદલ તેને વળતર આપવા માટે
(૨) કોઇ અપીલપાત્ર કેસમાં દંડ કરવામાં આવે તો અપીલ કરવા માટેની મુદત વીતી ગયા પહેલા અથવા અપીલ કરવામાં આવે તો તેનો નિણૅય આવતા પહેલાં એવી કોઇ ચુકવણી કરી શકાશે નહી.
(૩) જયારે કોઇ ન્યાયાલય દંડ સાથેની ન હોય તેવી સજા કરે ત્યારે ફેંસલો આપતી વખતે જે બદલ આરોપીને એવી રીતે સજા કરવામાં આવી હોય તે કૃત્યને કારણે જેને નુકશાન કે ઇજા થયેલ હોય તે વ્યકિતને હુકમમાં જણાવેલી રકમ વળતર તરીકે આપવાનો ન્યાયાલય આરોપીને હુકમ કરી શકશે.
(૪) આ કલમ હેઠળનો હુકમ અપીલ ન્યાયાલય અથવા પોતાની ફેરતપાસની સતા વાપરતી વખતે ઉચ્ચન્યાયાલય કે સેશન્સ ન્યાયાલય પણ કરી શકશે.
(૫) તે જ બાબત અંગે પછીથી થયેલા દીવાની દાવામાં વળતર આપવાનો હુકમ ફરમાવતી વખતે આ કલમ હેઠળ વળતર તરીકે ચૂકવાયેલી કે વસૂલ થયેલી રકમ ન્યાયાલયે ધ્યાનમાં લેવી જોઇશે.
Copyright©2023 - HelpLaw