
અપીલ ન્યાયાલય વધારે પુરાવો લઇ શકશે કે લેવાનો આદેશ આપી શકશે
(૧) આ પ્રકરણ હેઠળની કોઇ અપીલની કાયૅવાહી કરતી વખતે પોતાને વધારે પુરાવો લેવો જરૂરી લાગે તો અપીલ ન્યાયાલય કારણોની લેખિત નોંધ કરશે અને એવો પુરાવો પોતે લઇ શકશે અથવા કોઇ મેજિસ્ટ્રેટને અથવા અપીલ ન્યાયાલય ઉચ્ચન્યાયાલય હોય ત્યારે કોઇ સેશન્સ ન્યાયાલય કે મેજિસ્ટ્રેટને એવો પુરાવો લેવાનો આદેશ આપી શકશે
(૨) સેશન્સ ન્યાયાલય કે મેજિસ્ટ્રેટ વધારાનો પુરાવો લે ત્યારે તેણે એવો પુરાવો પ્રમાણિત કરીને અપીલ ન્યાયાલયને મોકલી આપવો જોઇશે અને તેમ થયે તે ન્યાયાલયે અપીલની નિકાલ કરવાની કાયૅવાહી કરવી જોઇશે.
(૩) આરોપી કે તેના વકીલને વધારાનો પુરાવો લેવાય ત્યારે હાજર રહેવાનો હકક રહેશે.
(૪) આ કલમ હેઠળ પુરાવો લેવાની કાયૅવાહી તે કોઇ તપાસ હોય એ પ્રમાણે પ્રકરણ-૨૫ની જોગવાઇઓને અધીન રહેશે.
Copyright©2023 - HelpLaw