
ઉચ્ચન્યાયાલયને નિણૅયાથૅ લખાણ
(૧) કોઇ ન્યાયાલયને એવી ખાતરી થાય કે પોતાની સમક્ષ ચાલતા કોઇ કેસમાં કોઇ અધિનિયમ વટહુકમ કે રેગ્યુલેશનની અથવા તેમાંના કોઇની કોઇ જોગવાઇની કાયદેસરતાનો પ્રશ્ન છે અને તેનો નિણૅય કરવો તે કેસના નિકાલ માટે જરૂરી છે અને પોતાનો અભિપ્રાય એવો થાય કે તે અધિનિયમ વટહુકમ રેગ્યુલેશન કે જોગવાઇ કાયદેસર કે અસરકતૅલા નથી પરંતુ પોતે જેના તાબામાં છે તે ઉચ્ચન્યાયાલયે કે ઉચ્ચતમ ન્યાયાલયે તેને એ રીતે ઠરાવેલ નથી ત્યારે તે ન્યાયાલયને પોતાનો અભિપ્રાય અને તે માટેના કારણો દશૅવાવીને કેસ તૈયાર કરવો જોઇશે અને ઉચ્ચન્યાયાલયનો નિણૅય મેળવવા માટે તેને મોકલવો જોઇશે.
સ્પષ્ટીકરણઃ- આ કલમમાં રેગ્યુલેશન એટલે સામાન્ય કલમ અધિનિયમ ૧૮૯૭ માં અથવા કોઇ રાજયના સામાન્ય કલમ અધિનિયમમાં વ્યાખ્યા કયૅા મુજબનો કોઇ રેગ્યુલેશન
(૨) પેટા કલમ (૧) ની જોગવાઇઓ જેને લાગુ પડતી ન હોય તેવા તેની સમક્ષ ચાલતા કોઇ કેસમાં સેશન્સ ન્યાયાલય તેને યોગ્ય લાગે તો તે કેસની સુનાવણી દરમ્યાન ઉપસ્થિત થતો કાયદાનો કોઇ પ્રશ્ન ઉચ્ચન્યાયાલયનો નિણૅય મેળવવા માટે તેને મોકલી શકશે.
(૩) પેટા કલમ (૧) કે પેટા કલમ (૨) હેઠળ ઉચ્ચન્યાયાલયને નિણૅયાથૅ કોઇ પ્રશ્ન મોકલનાર ન્યાયાલયના તેના ઉપર ઉચ્ચન્યાયાલયનો નિણૅય ન આવે ત્યાં સુધી આરોપીને જેલમાં મોકલી શકશે અથવા બોલાવવામાં આવે ત્યારે હાજર થવાની શરતે તેને જામીન ઉપર છોડી શકશે.
Copyright©2023 - HelpLaw