નિયમો કરવાની ઉચ્ચન્યાયાલયની સતા - કલમ : 523

નિયમો કરવાની ઉચ્ચન્યાયાલયની સતા

(૧) દરેક ઉચ્ચન્યાયાલય રાજય સરકારની પૂવૅ મંજૂરીથી નીચેની બાબતે માટે નિયમો કરી શકશે.

(એ) પોતાની સતા નીચેના ફોજદારી ન્યાયાલયોમાં અરજી લખનારા તરીકે કામ કરવાની જેને પરવાનગી આપી શકાય તે વ્યકિતઓ

(બી) સદરહુ વ્યકિતઓને આપવાના લાઇસન્સ તેમના કામકાજના સંચાલન અને તેમણે લેવાની ફીના ધોરણનું નિયમન

(સી) એ રીતે કરાયેલા કોઇ નિયમના ઉલ્લંઘન માટે દંડની જોગવાઇ અને તે ઉલ્લંઘનની તપાસ તેમજ દંડ કરી શકનાર અધિકારી નકકી કરવા બાબત.

(ડી) ઠરાવવાની જરૂરી કે રાજય સરકાર દ્રારા નિયમોથી ઠરાવી શકાય તેવી બીજી કોઇપણ બાબત

(૨) આ કલમ હેઠળ કરાયેલા તમામ નિયમો રાજપત્રમાં પ્રસિધ્ધ કરવા જોઇશે.