
જામીનગીરી ન આપવા માટે કેદમાં રખાયેલ વ્યકિતઓને છોડી મુકવાની સતા
"(૧) કલમ ૧૧૭ હેઠળ એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ કરેલા હુકમની બાબતમાં જિલ્લા મેજિસ્ટ્રેટનો અને બીજી કોઇ પણ બાબતમાં ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટનો અભિપ્રાય એવો થાય કે આ પ્રકરણ હેઠળ જામીનગીરી ન આપવા માટે કેદમાં રખાયેલ કોઇ વ્યકિતને સમાજ કે અન્ય કોઇ વ્યકિતને ખતરામાં મુકયા વિના છોડી મુકી શકાય તેમ છે તો તેઓ તેને છોડી મુકવાનો હુકમ કરી શકશે
(૨) આ પ્રકરણ હેઠળ જામીન ન આપવા માટે કોઇ વ્યકિતને કેદમાં રાખેલ હોય ત્યારે હાઇકોટૅ કે સેશન્સ કોટૅ અથવા બીજી કોર્ટે હુકમ કર્યો હોય ત્યારે કલમ ૧૧૭ હેઠળ એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ કરેલા હુકમની બાબતમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા બીજી કોઇ પણ બાબતમાં ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ જામીનગીરીની રકમમાં કે જામીનોની સંખ્યામાં અથવા જે મુદત માટે જામીનગીરી આપવા ફરમાવ્યુ હોય તેમા ઘટાડો કરવાનો હુકમ કરી શકશે
(૩) પેટા કલમ (૧) હેઠળના હુકમથી તે વ્યકિતને બિનશરતે અથવા તે સ્વીકારે તે શરતે છોડી મુકવાનો આદેશ આપી શકાશે
પરંતુ જે મુદત માટે તે વ્યકિતને જામીનગીરી આપવાનો હુકમ કરવામાં આવ્યો હોય તે પુરી થયે મુકવામાં આવેલ શરત અસરકતા રહેશે નહીં.
(૪) છોડી મુકવાનો શરતી હુકમ કરવા માટેની શરતો રાજય ઠવારી શકશે
(૫) કલમ ૧૧૭ હેઠળ એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટે કરેલા હુકમની બાબતમાં કોઇ વ્યકિતને છોડી મુકવાનો હુકમ કરતા જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા બીજી કોઇ પણ બાબતમાં ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ કે તેના અનુગામીના અભિપ્રાય મુજબ તે શરતે તેને છોડી મુકવામાં આવેલ હોય તેનુ પાલન ન થયુ હોય તો તેઓ તે હુકમ રદ કરી શકશે
(૬) છોડી મુકવાનો શરતી હુકમ પેટા કલમ (૫) હેઠળ રદ કરવામાં આવે ત્યારે તે વ્યકિતને કોઇ પોલીસ અધિકારી વિના વોરંટે પકડી શકશે અને તેમ થાય ત્યારે કલમ ૧૧૭ હેઠળ એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટે કરેલા હુકમની બાબતમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને બીજી કોઇ પણ બાબતમાં ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ તેને રજુ કરવામાં આવશે
(૭) તે વખતે તે વ્યકિત તેને પ્રથમ જે મુદત કેદમાં મોકલવામાં આવેલ હોય અથવા કેદમાં ચાલુ રાખવામાં આવેલ હોય તેના બાકી રહેલા ભાગ (એટલે કે છોડી મુકવાના હુકમની શરતોના ભંગની તારીખ અને તે હુકમ ન થયો હોત તો જે તારીખે તે મુકત થવા હકદાર થાત તે તારીખ વચ્ચેની મુદત જેટલા ભાગ) માટે મુળ હુકમની શરતો અનુસાર જામીનગીરી ન આપતો કલમ ૧૧૭ હેઠળ એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટે કરેલા હુકમની બાબતમાં જિલ્લા મેજિસ્ટ્રેટે અને બીજી કોઇ પણ બાબતમાં ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ તે બાકી રહેલા ભાગની કેદ ભોગવવા તેને ફરીથી જેલમાં મોકલી શકશે
(૮) જે કોટૅ કે મેજિસ્ટ્રેટે એવો હુકમ કર્યો હોય તેને અથવા તેના અનુગામીને ઉપર જણાવ્યા મુજબના બાકી રહેલા ભાગ માટે મુળ હુકમોની શરતો અનુસાર જામીનગીરી આપવામાં આવે તો કોઇ પણ સમયે કલમ ૧૨૨ની જોગવાઇઓને આધીન રહીને પેટા કલમ (૭) હેઠળ જેલમાં મોકલાયેલ વ્યકિતને મુકત કરવામાં આવશે.
(૯) આ પ્રકરણ હેઠળ આપેલો સુહેલ જાળવવા અથવા સારા વતૅન માટેનો મુચરકો કોઇ પણ સમયે તેમ કરવાના પુરતા કારણોની લેખિત નોંધ કરીને હાઇકોટૅ કે સેશન્સ કોટૅ પોતાના હુકમ થી રદ કરી શકશે અને પોતાના હુકમ અનુસાર અથવા પોતાના જિલ્લાની બીજી કોઇ કોટૅના હુકમ અનુસાર આપવામાં આવેલ મુચરકો એવી રીતે કલમ ૧૧૭ હેઠળ એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટે કરેલા હુકમની બાબતમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને બીજી કોઇ પણ બાબતમાં ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ રદ કરી શકશે
(૧૦) જે અન્ય વ્યકિતને આ પ્રકરણ હેઠળ મુચરકો કરી આપવાનો હુકમ થયેલ હોય તેના સુલેહભયૅ વતૅન કે તેના સારા વતૅન માટેનો કોઇ પણ જામીન તે હુકમ કરનાર કોટૅને કોઇ પણ સમયે મુચરકો રદ કરવા માટે અરજી કરી શકશે અને તે અરજી કરવામાં આવે ત્યારે પોતાને યોગ્ય લાગે તે પ્રમાણે સમન્સ કે વોરંટ કાઢીને જેને માટે તે જામીને જવાબદારી લીધી હોય તે વ્યકિત પોતાની સમક્ષ હાજર થાય કે લાવવામાં આવે તેમ ફરમાવશે
Copyright©2023 - HelpLaw